ગેનીબેન ઠાકોરના મામેરાની વાત મુદ્દે બનાસકાંઠામાં વિવાદ.
બ્રહ્મસમાજના આગેવાન રતનજીએ કટાક્ષ કર્યો
મામેરુ એક વખત ભરાય, બે વખત નહીં : રતનજી
નિવેદન આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો.
ગેનીબેન ઠાકોરે તેમની સભામાં મામેરુ ભરવાની વાત કરી
બ્રહ્મ સમાજની સભામાં સમાજના આગેવાન રતનજીએ મોમેરું ભરવાના નિવેદન સામે પોતાનું નિવેદન આપ્યું છે. રતનજીએ કયું મામેરુ એક વખત ભરાય બે વખત ના ભરાય. ગેનીબેન ઠાકોર પર કટાક્ષ કરતાં કહ્યું મામેડ એવું ભરજો કે છલકાઈ જાય. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે તેમની સભામાં મામેરુ ભરવાની વાત કરી છે. તેથી ત્રણ પરગણા બ્રહ્મ સમાજ ભાજપની સાથે રહેશે અને જીતાડવામાં મદદ કરશે તેવું નિવેદન રતનજીએ આપ્યું છે.