મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં આશરે સવા વર્ષથી જેલમાં બંધ ઓરેવા ગ્રુપના એમડીના જામીન મંજુર થયા છે સુપ્રીમ કોર્ટમાંથી આરોપીને જામીન મળ્યા હોવાની માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે
મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા અને ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલે કોર્ટ સમક્ષ શરણાગતિ સ્વીકારતા તેમની ધરપકડ કરી જેલહવાલે કરવામાં આવ્યા હતા જેથી જામીન મેળવવા જયસુખભાઈ પટેલે અગાઉ જીલ્લા કોર્ટ અને હાઇકોર્ટમાં અરજી કરી હતી જોકે રાહત નહિ મળતા સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી. અને સુપ્રીમ કોર્ટે જયસુખભાઈ પટેલના જામીન મંજુર કર્યાનું સુત્રો જણાવી રહ્યા છે.