મોરબી : આઇશ્રી કોઠાવાળી મચ્છો માતાજીનો નવરંગો માંડવો યોજાશે.
આઈ મચ્છો યુવા ગ્રુપ મોરબી દ્વારા તા. ૦૭ ને રવિવારના રોજ દરબાર ગઢ નજીક આવેલ આઇશ્રી કોઠા વાળી મચ્છુ માતાજી મંદિર ખાતે આઇશ્રી કોઠાવાળી મચ્છો માતાજીનો નવરંગ માંડવો યોજાશે
જેમાં તા. ૦૭ ને રવિવારે સવારે શુભ ચોઘડિએ થાંભલી રોપણ, સવારે ૧૦ કલાકે સામૈયા, બપોરે ૧૧ કલાકે મહાપ્રસાદ, રાત્રે ૧૦ કલાકે ડાકની રમઝટ અને તા. ૦૮ ને સોમવારે સવારે શુભ ચોઘડિયે થાંભલી વધામણા કરવામાં આવશે જેમાં ટંકારાના રાવળદેવ હરેશભાઈ પનારા અને રાવળદેવ વિરમભાઇ પનારા સહિતના કલાકારો ડાકની રમઝટ બોલાવશે