અમિત શાહનો બનાસકાંઠા અને રક્ષા યુનિ.નો કાર્યક્રમ રદ્દ અમિત શાહના ગુજરાતના તમામ કાર્યક્રમો રદ્દ કરાયા બહેનનું અવસાન થવાના કારણે કાર્યક્રમો રદ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બહેનનું નિધન થયુ છે. જેમાં અમદાવાદની કે.ડી.હોસ્પિટલમાં દાખલ હતા. તેમાં અમિત શાહનો બનાસકાંઠા અને રક્ષા યુનિ.નો કાર્યક્રમ રદ્દ થયો છે. તથા અમિત શાહના ગુજરાતના તમામ કાર્યક્રમો રદ્દ કરાયા છે. અમદાવાદની કેડી હોસ્પિટલમાં લાંબા સમયથી રાજેશ્વરીબેન પ્રદીપભાઈ શાહ સારવાર લઇ રહ્યા હતા.
અમિત શાહના આજના ગુજરાતના તમામ કાર્યક્રમો રદ્દ કરાયા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આજના ગુજરાતના તમામ કાર્યક્રમો રદ્દ કરાયા
જેમાં અમિત શાહના બહેનનું અવસાન થવાના કારણે કાર્યક્રમો કેન્સલ થયા છે. અગાઉ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અચાનક મુંબઈ પહોંચી ગયા હતા.અમિત શાહની બહેનની મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. અમિત શાહ પોતાની બહેનની પૂછપરછ કરવા સીધા જ મુંબઈમાં પ્રવેશ્યા હતા. આ વખતે તે તેની બહેનને મળ્યા. અમિત શાહ મુંબઈ આવ્યા બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.