જીતુભાઈ ચાવડા સહિત ત્રણ પોલીસ કર્મીઓ મોરબી જિલ્લામાં પીએસઆઇ બન્યા બાદ બીજો હુકમ ન થાય ત્યાં સુધી વાંકાનેર સિટીમાંજ જીતુભાઈ ચાવડાને પીએસઆઈ તરીકે પોસ્ટિંગ અપાયું
ઓરબી જિલ્લામાંથી જીતેન્દ્રકુમાર હીરજીભાઇ ચાવડા તેમજ નજરૂદીન જુસબમીયા મશાકપુત્રા અને મહમદઉસ્માન કાદરબક્ષ બ્લોચ દ્વારા મોડ થ્રીની પરીક્ષા પાસ કરી પીએસઆઇની પદવી મેળવી. અને હાલ ચાલુ ફરજ પર જ બીજો હુકમ ન થાય ત્યાં સુધી પીએસઆઈ તરીકે પોસ્ટીગ અપાયું
જીતુભાઈ ચાવડા મૂળ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લુણસર ગામના વતની છે પોતે એક સામાન્ય પરિવારમાંથી આવતા હોય ખૂબ જ કઠિન પરિશ્રમ થકી 27/4/1991 ના રોજ પોલીસ કોન્સ્ટેબલ તરીકે અમદાવાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ 5 વર્ષ શહેર ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ, 3 વર્ષ વેજલપુર પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર, 2 વર્ષ નશાબંધી ખાતામાં, પાંચ વર્ષ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર, 1 વર્ષ ટ્રાફિક શાખા અમદાવાદ શહેર , 5 વર્ષ કારંજ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર, 1 વર્ષ ખોખરા પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર, 3 વર્ષ દાણીલીમડા પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર અને ત્યારબાદ તારીખ 1/10/2021 ના રોજ મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના સીટી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી જે હાલ પણ પીએસઆઈ બન્યા ત્યાં સુધી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવી રહ્યા છે