બિપરજોય વાવાઝોડાએ ગુજરાતમાં કેટલો વિનાશ વેર્યો.વાવાઝોડાની લેટેસ્ટ સ્થિતિ શું છે.

Unknown
તોફાનના કારણે લગભગ 22 લોકો ઘાયલ થયા છે. હજુ સુધી કોઈના મોતના સમાચાર નથી.23 પશુઓના મોત, જ્યારે 524 ઝાડ ઉખડી ગયા તો અનેક જગ્યાએ વીજળીના થાંભલા પડી ગયા.
સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વીજ થાંભલા પડી જતાં 940 ગામોમાં વીજળી ડૂલ.
હવામાન ખાતાએ આપેલી લેટેસ્ટ જાણકારી મુજબ બિપરજોય વાવાઝોડું હાલ જખૌ બંદરથી 70 કિમી દૂર છે અને નલિયાથી 50 કિમી દૂર છે. વાવાઝોડું હવે ગુજરાતથી દૂર થઈ રહ્યું હોય તેવું લાગે છે. આ અગાઉ વાવાઝોડું નલિયાથી 30 કિમી દૂર હતું. આ વાવાઝોડાની દિશાની વાત કરીએ તો તે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. તેના પ્રભાવથી ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠામાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે. આવાવાઝોડાની ગઇકાલે સાંજે
ગુજરાતના કાંઠે લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ હતી જે મોડી રાત સુધી ચાલી. બિપરજોયના કારણે ગુજરાતના કાંઠા વિસ્તારોમાં 125થી 140 કિમી પ્રતિ કલાકનો પવન ફૂંકાયો ત્યારબાદ તેમાં ઘટાડો થઇને 187 કિમી પ્રતિ કલાક સુધી પહોંચ્યો હતો. ભારે પવનના કારણે વીજ થાંભલા પડ્યા, ઝાડ ઉખડી ગયા, અનેક ગામોમાં ખોવાયો. વીજ પૂરવઠો,
હવામાન વિભાગના ડાઈરેક્ટર ડો. મનોરમા મોહંતીએ વાવાઝોડા વિશે માહિતી આપતા કહ્યું કે વેરી સિવિયર સાયકલોનીક સ્ટોર્મ ઉત્તર પૂર્વ થી સૌરાષ્ટ્ર કચ્છ કોસ્ટ ક્રોસ કર્યું છે. જખૌ પોર્ટ પાસે રાતે 10.30થી 11.30 દરમિયાન ક્રોસ કર્યું. રાત્રે 11 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી લેન્ડફોલ પ્રોસેસ રહી હતી. લેન્ડફોલ સમય 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાક થી લઇને 140 કિલોમીટર સુધી પવન રહ્યો. જખૌ પોર્ટ થી 10 કિલોમીટર દૂર ઉત્તર.
દિશામાં થી વાવાઝોડું પસાર થયું હતું. વાવાઝોડાના આંખનું સંપૂર્ણ લેન્ડ કોલ 10:30 થી 11:30 સુધી થયું. હાલ વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છ ઉપર યથાવત છે.
વાવાઝોડાને નબળું પડતા થોડો
સમય લાગશે. વાવાઝોડું વીક પડીને સાયકલોનિક સ્ટોર્મ થશે અને બાદમાં ડિપ્રેશન બની વાવાઝોડું પૂર્ણ થશે. આજે સાંજે અથવા તો આવતીકાલે સવાર સુધીમાં વાવાઝોડું સીવીયર સાયકલોન માંથી સાયકલોનિક સ્ટોર્મ અને બાદમાં ડિપ્રેશનમાં પરિણમશે. વાવાઝોડાને કારણે હજુ 60 થી 70 km ની ઝડપે પવન ફૂંકાશે તેમજ ભારે વરસાદ પણ રહેશે. જો કે કાલ કરતાં પવનની ગતિ ઓછી રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં ભારથી અતિ ભારે વરસાદ પડી શકે છે.ઉત્તરગુજરાતમાં બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી.
સાબરકાંઠા પાટણમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છ દ્વારકા જામનગર અમદાવાદમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ રહી શકે છે. હજુ પણ ફિશરમેન વોર્નિંગ યથાવત છે. તેમજ દરિયામાં Lcs 3 સિગ્નલ લગાવાશે. આ પહેલા ગ્રેડ લાઈન 9 અને ગ્રેડ લાઇન 10 સિગ્નલ આપવામાં આવ્યું હતું જે હટાવાશે. Ls 3 સિગ્નલ નો 
મતલબ હજુ પણ પૂર આવવાની શક્યતા રહેલી છે. હાલ વાવાઝોડાની આઈ દેખાઈ નથી રહી. જ્યારે આઈ દેખાતી હતી ત્યારે તે 50 કિલોમીટર માં ફેલાયેલી હતી. આજે પૂરું વાવાઝોડું પૂર્ણ નહીં થાય પરંતુ સાંજે અથવા તો આવતીકાલ સવાર સુધીમાં ડિપ્રેશન બનીને પૂર્ણ થશે તેવી શકયતા સૌથી વધુ ગાંધીધામમાં 67 cm વરસાદ નોંધાયો.
વાવાઝોડાએ કેટલો વિનાશ વેર્યો.
રાહત કમિશનર આલોક શર્માએ એમ પણ કહ્યું કે તોફાનના કારણે લગભગ 22 લોકો ઘાયલ થયા છે. હજુ સુધી કોઈના મોતના સમાચાર નથી. 23 પશુઓ માર્યા ગયા છે જ્યારે 524 ઝાડ ઉખડી ગયા છે અને કેટલીક જગ્યાએ વીજળીના થાંભલા પડી ગયા છે. જેના કારણે 940 ગામોમાં વીજળી નથી. બિપરજોય વાવાઝોડાની ભારે અસર નલિયા અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી. છેલ્લા બે કલાકથી પવન સાથે વરસાદ વરસી રહ્યો 
છે. વરસાદનીનલિયા અને આસપાસના
ગતિમાં સમયાંતરે વધઘટ થતી જોવા મળી રહી છે. વાવાઝોડાને કારણે વિસ્તારોમાં થયું નુકસાન. વૃક્ષો ધરાશાયી થવા, પતરા ઉડી જવા, કાચા મકાનોની દીવાલ પડી જવી, તેમજ ભુજથી નલિયા સુધીની રોડ કનેક્ટિવિટીને નુકસાન પહોંચ્યું. ભુજથી નલિયા તરફ આવતા માર્ગોમાંઅનેક વૃક્ષ ધરાશાયી થયા. બિપરજોયના કારણે મોરબીમાં ભારે પવન ફૂંકાયો અને 300 જેટલા વીજળીના થાંભલા પડી ગયા. આ કારણે અનેક ઠેકાણે અંધારપટ પણ છવાઈ ગયો.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !