આજે સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો 15 એપ્રિલથી અમલી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે. રાજ્યમાં તા. 04 ફેબ્રુઆરીએ જાહેર કરાયેલા જંત્રી દરના વધારાનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. આગામી તારીખ 15/04/2023ના રોજથી અમલી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બિલ્ડર્સ એસો. દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો, જે અનુસંધાને આ નિર્ણય લેવામાં આવ્યો છે
જંત્રીનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ : 15 એપ્રિલથી જંત્રી અમલી કરવા મુખ્યમંત્રીનો નિર્ણય.
ફેબ્રુઆરી 10, 2023
Tags