શહેનશાહ મોરબી વોહે દબદબા તેરા કભી માયુસ નહી હોતા મનને વાલા તેરા

Machhu news morbi
શહેનશાહ મોરબી વોહે દબદબા તેરા કભી માયુસ નહી હોતા મનને વાલા તેરા 

શહેનશાહે મોરબી હજરત કુતુબ બાવા અહેમદશા (ર.અ.) મુબારક ના ઉર્ષ મુબારક ની તડામાર તૈયારીઓ મુસ્લિમ બિરાદરોમાં અનેરો થનગન

 મોરબી દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષ પણ હજરત કુતુબ બાવા અહેમદ શાહ સરકારનો ઉર્ષ મુબારક બહુજ શાનો શોખથી ઉજવવાનો આયોજન કરેલ છે અંગ્રેજી તારીખ :-૨૯/૦૭/૨૦૨૫ ને મંગળવાર અને મુસ્લિમ ચાંદ (૩) ત્રણ સફર ના રોજ ઉર્ષ મુબારક ઉજવવામાં આવશે જેમાં સાંજે ચાર વાગ્યે શહેજાદાએ મદની સરકાર તથા તમામ એહલેબેત સાથે તમામ આશિકાને બાવા અહેમદશાહ ની હાજરીમાં સંદલ પોશી કરવામાં આવશે ત્યારબાદ સાંજે પાંચ વાગ્યે આમ ન્યાજ (મહાપ્રસાદ) નું પણ જોરદાર આયોજન કરેલ છે ન્યાજ શરીફ માં ભાઈઓ માટે બાવા એહમદશાહ દરગાહ મેદાનમાં અને બહેનો માટે અલગથી મેમણ સમાજના જમાત ખાના મેમણ શેરી ની બાજુમાં રાખવામાં આવેલ છે સાથે સાથે રાત્રે 10 વાગ્યે પીરે તરીકત એહમદપિયા કાદરીયુલ જીલાની નો વાઈજ શરિફ નો પણ નૂરાની જલસો રાખવામાં આવેલ છે વાઈજ શરીફ પહેલા બાવા અહેમદશા મસ્જિદના પેસ ઈમામ નજીરમિયા બાપુ બુખારી તથા બાવા અહેમદશા મસ્જિદ ના નાયબ પેસ ઈમામ સૈયદ રીયાકત અલી બાપુ પોતાની જોશીલી જુબાન થી નાત શરીફ પણ પેસ કરશે તો આ મુબારક મોકા ઉપર તસરીફ લાવવા તમામ હિન્દુ-મુસ્લિમ ભાઈઓ અને બહેનોને આશિકાએ બાવા એહમદશાહ ગ્રુપ અને બાવા એહમદશા મસ્જિદ દરગાહ ના ટ્રસ્ટીઓ તરફથી જાહેર દાવત આમંત્રણ આપવામાં આવે છે.

રિપોર્ટ...આસિફ ખોરમ
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !