બીલીમોરા: નવસારી જિલ્લામાં આદિવાસી સમાજનું અસ્તિત્વ સંખ્યા અને સભ્યતાની દૃષ્ટિએ મોટા પ્રમાણમાં છે.
આ જ નવસારી જિલ્લામાં છેલ્લા 5-6 વર્ષથી સક્રિય એવા આદિવાસી સમજ ટ્રસ્ટ (બીલીમોરા-ગણદેવી- ચીખલી) માં હાલ જ સભ્યોમાં ઉમેરો કરવામાં આવ્યો છે. કે જેમાં સહ ઉપપ્રમુખ તરીકે શ્રી. યોગેશભાઈ એમ પટેલ એમની નિયુક્તિ કરવામાં આવી છે. યોગેશભાઈ એમને 22 વર્ષ શિક્ષક નો અનુભવ અને 05વર્ષ થી આચાર્ય તરીકે ની કામગીરી કરી રહ્યા છે. એમના આગમનથી સંગઠનના કાર્યક્રમોમાં શિસ્ત આવશે એ વાત નક્કી છે.સાથે જ સંયોજક તરીકે શ્રી. હિમાંશુ વિજયભાઈ પટેલ એમની નિયુક્તિ કરવમાં આવી છે. હિમાંશુ પટેલ એ એમની સમાજ સેવા માટે એમના ઉપનામ પટેલ સાહેબ તરીકે સમાજમાં વધુ પ્રખ્યાત છે. હિમાંશુભાઈ એમણે સંગઠનમાં જોડાવવા પેહલા અગણિત સમાજ સેવાઓ આપી છે. પાંચ ભાષાઓમાં નિષ્ણાત એવા હિમાંશુભાઈ સંગઠનને ભવિષ્યમાં ઉચ્ચ સ્તરે લઈ જશે એમાં કોઈ શંકા નથી.