અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા માટેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું

Unknown
                 23 જાન્યુઆરીથી ભક્તો દર્શન કરી શકશે
     સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે
   સવારે 3 વાગ્યે બ્રહ્મ મુહૂર્તમાં ગર્ભગૃહની સ્વચ્છતા કરાશે.અયોધ્યામાં ભગવાન રામની ભવ્ય સ્થાપના કરવામાં આવીછે.જેનીસાથેજ
અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થયા છે. આ સાથે જ આવતીકાલ 23 જાન્યુઆરીથી મંદિરમાં ભગવાનના દર્શન કરી લોકો શકશે. જેમાંસવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. 
લોકો માટે અયોધ્યમાં રામ મંદિરના દર્શન માટેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં દિવસના 15 કલાક સુધી મંદિરમાં દર્શન ચાલુ રહેશે. આ માટે રામોપાસના નામથી સંહિતા તૈયાર કરવામાં આવી છે. આ વચ્ચે સવારે 3 વાગ્યે બ્રહ્મ મુહૂર્તમાં ગર્ભગૃહની સ્વચ્છતા કરાશે. જે સાથે જ સવારે મંદિરમાં મંગળા આરતી કરવામાં આવશે.
આ વચ્ચે આરતી બાદ વિગ્રહોનો અભિષેક, શણગાર કરાશે, જેની સાથે જ લોકો દર્શન કરવા માટે આવી શકશે.બપોરે 1.00 વાગ્યે મધ્યાહ ભોગ આરતી કરાશે અને તેની સાથે જ બપોરે 2 કલાક ભગવાનના દર્શન બંધ રહેશે. જ્યારે 3 વાગ્યાથી ફરીથી મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. આ પછી સાંજે 7 વાગ્યે મંદિરમાં સંધ્યા આરતી કરાશે. જે પછી રાત્રે 10 વાગ્યે મંદિર બંધ કરવામાં આવશે.
જેની સાથે જ મંદિરમાં ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં દિવ્યાંગો માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. આ પછી ભક્તોની ભીડ ન જામે તેના માટે પણ કાળજી રાખવામાં આવી રહી છે. રામ મંદિર પરિસરમાં પણ મોટી સંખ્યામાં ભક્તો રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !