ગત તા.૦૮-૦૧-૨૦૨૩ રવિવારનાં રોજ મોરબી જિલ્લા પેન્શનર સમાજનાં આજીવન સભ્યો માટે સામાન્ય સભા મળી હતી. તેમાં હાજર રહ્યા હોય અને રૂ.૨૦૦/- રજિસ્ટ્રેશન ફી જમા કરાવી હોય તેવાં આજીવન સભ્યો માટે ભેટ વિટરણ કરવાની થાય છે. તેવા આજીવન સભાસદોએ રજિસ્ટ્રેશન ફી ની પહોંચ લઇ ભેટ તા.૦૬-૦૨-૨૦૨૩ થી તા.૨૭-૦૨-૨૦૨૩ સુધીમાં સવારે ૯-૩૦ થી ૧૧-૦૦ (સોમવાર થી શુક્રવાર) સુધીમાં કચેરીએથી લઇ જવા વીનંતી છે. ત્યારબાદ કોઇપણને ભેટ વિતરણ કરવામાં આવશે નહીં કે કોઇ દાવો કરી શકશે નહીં જેની નોંધ લેવા મોરબી જિલ્લા પેન્શનર સમાજ પ્રમુખશ્રીની યાદીમાં જણાવાયું છે.
મોરબી જિલ્લા પેન્શનર સમાજના આજીવન સભ્યોને ૬ થી ૨૭ ફેબ્રુઆરીસુધી ભેટ વિતરણ કરાશે .
ફેબ્રુઆરી 06, 2023
Tags