*નખત્રાણા બ્રહ્મ સમાજ દ્વારા શાસ્ત્રી શ્રી જગદીશ જોશી નું બહુમાન કરાયું*
*નખત્રાણા ખાતે સર્વ જીવ કલ્યાણ અર્થે યોજાતી કથા નું રસ પાન કરાવી રહ્યા છે શાસ્ત્રી જગદીશ જોશી*
નખત્રાણા ખાતે પાટીદાર કન્યા શાળાના પટાંગણમાં સર્વ જીવ કલ્યાણ સમિતિ દ્વારા આયોજિત સર્વજીવોના કલ્યાણ અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયેલ છે જેના આચાર્ય શાસ્ત્રી શ્રી જગદીશભાઈ જોશી નું નખત્રાણા તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા ભૂદેવો દ્વારા શાસ્ત્રીજીનું સન્માન કરવા માં આવેલ હતું નખત્રાણા તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રકાશભાઈ જોશી. ઉપપ્રમુખ દિનેશભાઈ જોશી. ઉપપ્રમુખ નવીનભાઈ જોશી મહામંત્રી અનિલભાઈ રાજગોર જ્ઞાતીના પ્રમુખ વિપુલભાઈ ગોર. નખત્રાણા બ્રહ્મ સમાજના અગ્રણી જીતુભાઈ જોશી નખત્રાણા યુવા બ્રહ્મ સમાજ ના પ્રમુખ મિતેશ મહારાજ દ્વારા શાસ્ત્રીજીનું સાલ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ પૂ શાસ્ત્રી જગદીશ મહારાજે સમાજ ના મોવડીઓ આગેવનો પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી
*રિપોર્ટર: રમજાન રાયમા ઐયર કચ્છ*