*રાજકોટના ગુલાબનગરમાં તૂટેલા રસ્તાઓનું રિપેરિંગ કરાયું*
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*
*રાજકોટ તા. ૨૩ સપ્ટેમ્બર -* રાજકોટ શહેર તથા જિલ્લામાં અતિવૃષ્ટિ પછી તૂટી ગયેલા અનેક રસ્તાઓનું રિપેરિંગ હાથ ધરાયું હતું.
રાજકોટ મહાનગરમાં ગુલાબનગર વિસ્તારમાં વરસાદના કારણે પડી ગયેલા ખાડાઓ બૂરી દેવામાં આવ્યા હતા તેમજ જરૂર પડે ત્યાં પેવર બ્લોક તેમજ સિમેન્ટ પૂરીને ખાડા પૂરવામાં આવ્યા છે. ઉપરાંત જિલ્લામાં પણ બાકી રહી ગયેલા વિસ્તારોમાં રોડ રિપેરિંગની કામગીરી ચાલી રહી છે.
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*