આશાપુરા માતાના મઢ જતા પદયાત્રિકો માટે લજાઈ ચોકડી ખાતે સેવા કેમ્પ આજથી શરૂ

Machhu news morbi
મોરબી: કચ્છમાં બીરાજમાન આશાપુરા માતાના મઢ દર્શન માટે પગપાળા જતા પદયાત્રિકો માટે મોરબીની લજાઈ ચોકડી ખાતે આજથી પદયાત્રિઓ માટે સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 
આજે તારીખ 21 સપ્ટેમ્બરને શનિવારથી રાજકોટ-મોરબી હાઈવે પર આવેલી લજાઈ ચોકડી ખાતે લજાઈ ગામ સમસ્ત દ્વારા આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પદયાત્રિકોને તમામ પ્રકારની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. વધુ માહિતી માટે મો.નં. 9825380343 અથવા 9726920521 પર સંપર્ક કરવા જણાવાયું છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !