તા.2મેટ્રોપોલિટન કોર્ટે ગઈકાલે અમદાવાદનાં સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર પીવી પટેલ અને પીએસઆઈ બીકે ચૌધરી સહિત 13 પોલીસકર્મીઓ વિરુદ્ધ તપાસનો આદેશ આપ્યો હતો.
મેટ્રોપોલિટન કોર્ટે શૈલેષ ગરાંગેની ફરિયાદ પર બંને પોલીસકર્મીઓ સામે તપાસનો આદેશ આપ્યો છે. ગરાંગેએ ફરિયાદ કરી હતી કે પોલીસ પાર્ટી તેના ઘરમાં ઘૂસીને બિયરની બોટલો કબજે કરી હતી, જે તેણે પરમિટની દુકાનમાંથી ખરીદી હતી.
તેમણે કહ્યું હતું કે તેમની પાસે માન્ય દારૂની પરમિટ છે. છતા પોલીસ દ્વારા તેના પર ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
તેમના વકીલ જયેન્દ્ર અભાવેકરે દલીલ કરી હતી કે ફરિયાદી દ્વારા પોલીસના ધ્યાન પર લાવવામાં આવ્યું હતું કે, તે પોતાના ઘરમાં દારૂનો જથ્થો રાખવા માટે હકદાર છે. તેમણે લાંચ આપવાની ના પાડી દીધી ત્યારબાદ તેની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું અને એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
કોર્ટે કહ્યું હતું કે ફરિયાદ પોલીસ અધિકારીઓ સામે હોવાથી જો ઉચ્ચ પોલીસ અધિકારીને તપાસ સોંપવામાં આવે તો પણ તપાસ યોગ્ય રહેશે નહીં. તેથી કોર્ટે સીઆરપીસીની કલમ 202 હેઠળ પોતાની રીતે તપાસ હાથ ધરવાનું નક્કી કર્યું અને ફરિયાદીને 8 નવેમ્બરે સાક્ષીઓને કોર્ટમાં લાવવા કહ્યું છે.