મોરબી ખનીજ માફિયાનો અંત ક્યારે માનસરનાં ગ્રામજનો નો રોષ...

Machhu news morbi
મોરબી જીલાલની આસપાસ આવેલ ગ્રામ્ય વિસ્તારમાં ખનિજ ની ચોરી માથાના દુખાવા સમાન છે ખનિજ માફિયા પોલીસ તંત્ર ખનિજ ખાતા ની એક બે અને ત્રણ કરીને નાક નીચેથી ખનીજ ચોરી કરી રહ્યા છે તેમ છતાં પોલીસ તંત્ર હાથ પર હાથ ધરીને બેઠું છે
મોરબી તાલુકાના માનસર ગામે આવેલ મચ્છુ નદીના ચેકડેમના ભાગે નારણકા ગામ તરફ ખનીજ માફિયાઓ દ્વારા રેતી ચોરવામાં આવી રહી હોવાની ફરિયાદ છેલ્લા ઘણા દિવસ થી થઈ રહી છે માત્ર માનસર ગામ નહીં માળીયા હાઇવે ટચ ગામ આવેલ ત્યાં પણ ખનિજ ચોરી નું પ્રમાણ વધ્યું છે ખનિજ માફિયા નું નેટવર્ક બહુ મોટું છે ત્યાં ” કાનૂનના હાથ પણ ટૂંકા પડે” છે ખેર આવી ખનિજ ચોરી તો ઘણી થાય છે પણ તંત્ર ને રસ નથી ત્યારે ફરીએકવાર કાગળ પર લેખિત અરજી માનસર ગામના સરપંચ જે.પી થોરિયા દ્વારા સરકારમાં અને ખનિજ વિભાગ માં કરવામાં આવી તેમજ તાત્કાલિક ખનિજ ચોરી અટકાવી કડક પગલાં લેવા રજુઆત કરવામાં આવી છે ત્યારે જોવું રહ્યું ખનિજ માફિયા સુધી તંત્ર પોલીસ પોહચે છે કે નહીં.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !