આજે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા આજે સવારે 10:30 કલાકે વાંકાનેર શહેર ખાતે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ વાંકાનેર મહારાણા અને રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા ના વરદ હસ્તે કરવામાં આવેલ
આ લોકાર્પણ કાર્યક્રમમાં મોરબી જિલ્લાપંચાયત પ્રમુખ શ્રી હંસાબેન પારઘી , તાલુકા સંગઠન પ્રમુખ શ્રી રતિલાલ અણીયારિયાં ,જિલ્લા સંગઠન મંત્રી રસિકભાઈ વોરા ,તાલુકા પ્રમુખ શ્રી હરૂભા ઝાલા , વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જિજ્ઞાસાબેન મેર તથા જિલ્લા -તાલુકાના હોદેદારો તથા એસ ટી નિગમના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ તેમજ આમંત્રિત મહાનુભાવો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.