મોરબી જીલ્લા માં જલારામ મંદિર ખાતે આવતીકાલ થી ઉતરાયણ સુધી દરરોજ સર્વજ્ઞાતિય રાહતદરે ચીકી વિતરણ થશે. વિવિધ.

Machhu news morbi
મોરબી જલારામ મંદિર ખાતે આવતીકાલ થી ઉતરાયણ સુધી દરરોજ સર્વજ્ઞાતિય રાહતદરે ચીકી વિતરણ થશે. વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આવતીકાલ તા.૫-૧-૨૦૨૩ સવાર થી સર્વજ્ઞાતિય રાહતદરે ચીકી વિતરણ ના કાર્યક્રમ નુ આયોજન કરવા માં આવેલ છે. જે અંતર્ગત ડ્રાઈફ્રુટ, કાજુ, બદામ, પિસ્તા ચીકી ૨૫૦ ગ્રામ રૂ.૧૩૦ ના ભાવે ઉપરાંત તલ-સિંગ-દાળીયા સહીત ની વિવિધ જાત ની ચીકી ૫૦૦ ગ્રામ ના રૂ.૬૦ તથા રૂ.૭૦ ના ભાવે તેમજ મમરા ના લાડું નુ રાહતદરે વહેલા તે પહેલા ના ધોરણે વિતરણ કરવા માં આવશે તેમ સંસ્થાએ યાદી માં જણાવ્યુ છે.  લી.નિર્મિત કક્કડ પ્રમુખશ્રી જલારામ સેવા મંડળ મોરબી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !